Educational News

ધોરણ 1 થી 4માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબત પરિપત્ર

ધોરણ 1 થી 4માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબત પરિપત્ર

Join WhatsApp Group  Join Now
 
Join Telegram Channel  Join Now

ધોરણ 1 થી 4માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબત પરિપત્ર
 
 
વિષય:- ધોરણ 1 થી 4માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબતે
 
પરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પાયારૂપ વાચન-લેખન-ગણન કૌશલ્યોના વિકાસ માટે ભારત સરકાર દ્વારા નિપુણ ભારત અભિયાન અમલીકૃત છે, જે અંતર્ગત પૂર્વ પ્રાથમિકનાં ત્રણ વર્ષ અને ધોરણ ૧ થી ૩ ની ત્રણ વર્ષ દરમિયાન બાળકોમાં પાયાગત વાચન-લેખન-ગણન કૌશલ્યો કેળવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, પાંચમી જુલાઈ, 2022ના રોજ સદર મિશનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન વર્ષ અમલી રહેનાર છે.
 
ભારત સરકાર દ્વારા આ મિશનનું નિયમિત રીતે મોનીટરીંગ કરવામાં આવે છે. ગત વર્ષે બેઇઝલાઇન શૈક્ષણિક મૂલ્યાંકનની કામગીરી આપણા રાજ્યમાં હાથ ધરવામાં આવેલ હતી. આ પ્રકારનું મૂલ્યાંકન ચાલુ વર્ષે કરીએ તો શિક્ષક અને વિદ્યાર્થીઓમાં આ અંગે જાગૃતિ આવે અને જરૂરી ઉપચારાત્મક કાર્ય કરી શકાય. આથી ચાલુ વર્ષે પણ આવો  શૈક્ષણિક સર્વે હાથ ધરવામાં આવનાર છે.
 
જે સંદર્ભે વર્ષ 2023-24માં ધોરણ 1 થી તેના વિદ્યાર્થીઓની નિપુણ ભારતનીમાર્ગદર્શિકામાં સમાવિષ્ટ વિકાસાત્મક ધ્યેય- 1-દ- બાળક અસરકારક પ્રત્યાયનકાર બને(ભાષા) તેમજ વિકાસાત્મક ધ્યેય ૩ | બાળકો જાતે શીખે અને પોતાના નજીકના પર્યાવરણસાથે જોડાય (ગણિત) અંતર્ગત શૈક્ષણિક સ્થિતિ સિદ્ધિના મૂલ્યાંકનની કામગીરી કરવાની રહેશે. જે માટે નીચે મુજબની બાબતોને ધ્યાને લેવાની રહેશે. આ સર્વે જુલાઇ, વર્ષ 2023-24માં હાથ ધરવાનો રહેશે. જેમાં રાજ્યની તમામ આઠ માધ્યમની (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને તમિલ, તેલુગુ અને ઉડિયા) અને તમામ પ્રકારની (સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર) શાળાઓમાં હાથ ધરવાનો રહેશે. * સદર સર્વેક્ષણ ધોરણ ૧ થી 4 માં હાથ ધરવાનું રહેશે. ધોરણ 1 માં દાખલ થનાર બાળકો માટે બાલવાટિકાની અધ્યયન નિષ્પત્તિઓ, ધોરણ 2 માં ધોરણ 1 ની અઘ્યયન નિષ્પત્તિઓ, ધોરણ ૩ માં ધોરણ ટની અધ્યયન નિષ્પત્તિઓ અને ધોરણ 4 માં ધોરણ 3ની અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા તૈયાર કરાયેલ મૂલ્યાંકન ઉપકરણનો ઉપયોગ કરવાનો રહેશે
 
* ધોરણ 1 થી 4 ના તમામ વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ થનાર હોઇ, મૂલ્યાંકન અંતર્ગત મળતી માહિતીની ડેટા એન્ટ્રી “વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ દ્વારા તૈયાર કરેલ અપ્લીકેશન મારફતે કરાવવાની રહેશે. જેની સૂચના ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ દ્વારા આપવામાં આવશે. * જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ ઉપકરણ રાજ્યના તમામ કાચેટ દ્વારા તેમના જિલ્લાના જિલ્લા મિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારી મારફતે શાળાઓ સુધી સોફ્ટ કોપી- ઇમેઇલમાં ઉપલબ્ધ કરાવવાના રહેશે,
 
ડાયટ વ્યાખ્યાતા પોતાના લાયઝન તાલુકોમી તા. 12-13 જુલાઇ, 2023ના રોજ તાલુકા કક્ષાએ બી.આર.સી.કો, તેમજ સી.આર.સી.કૉ.ને આ બેઝલાઇન સર્વે તેમજ તેની પ્રક્રિયાથી માહિતગાર કરવાના રહેશે. • તા. 14 જુલાઇ, 2023 ના રોજ જિલ્લા કક્ષાએથી ઉપકરણ શાળાઓને સોફ્ટ કોપીમાંઉપલબ્ધ કરાવવું. * જે વર્ગમાં 5 બાળકો હોય તેના વિષયશિક્ષકે એક દિવસમાં આ સર્વે પૂર્ણ કરી બીજા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે  જે વર્ગમાં 10 બાળકો હોય તેના વિષયશિક્ષકે બે દિવસમાં આ સર્વે પૂર્ણ કરી ત્રીજા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે • જે વર્ગમાં 15 બાળકો હોય તેના વિષયશિક્ષકે ત્રણ દિવસમાં આ સર્વે પૂર્ણ કરી ચૌથા દિવસે તેની ડેટાએન્ટ્રી કરવાની રહેશે.  જે વર્ગમાં 15થી વધુ બાળકો હોય તેના વિષયશિક્ષકે રોજના સરેરાશ 5 બાળકોની ડેટા
 એન્ટ્રી મુજબ દિન-10માં આ ડેટા એન્ટ્રી પૂર્ણ થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
 * આ સર્વે તા. 15 જુલાઇ, 2023થી તા. 25 જુલાઇ, 2025 સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે
 તેમજ આ સર્વેની ડેટા એન્ટ્રી તા. 30 જુલાઇ, 2023 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
ધોરણ 1 થી 4માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબત પરિપત્ર
Xmata swiftchat એપ્લિકેશનમાં નિપુણ ભારત બેઝલાઈન સર્વે ધોરણ -1 થી 4 એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે.

 

માર્ગદર્શિકા અહીંથી ડાઉનલોડ કરો

બાળકોનુ બેઝલાઈન સર્વેક્ષણ કેવી રીતે કરશો?? પ્રશ્નપત્ર (ઉપકરણ)નો ઉપયોગ કેવી રીતે કરવો ??  તે અંગેની વિડીઓ 

ધોરણ -૧ નો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ -૨ નો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ -૩ નો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -૪ નો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો

 

Paper Tools

 ધોરણ 1 DOWNLOD 

DOWNLOD

ધોરણ 2 DOWNLOD

DOWNLOD

ધોરણ 3 DOWNLOD

DOWNLOD

ધોરણ 4 DOWNLOD

DOWNLOD

• ડેટા એન્ટ્રી કરવા માટેની પ્રક્રિયાની સૂચના વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આપવામાં આવશે * સ્થાનિક પરિસ્થિતિ ધ્યાને લઈને આ સર્વે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે. • આ સર્વેમાં નબળાં શેક્ષણિક સિપ્થિ સ્થિતિ ધરાવનાર બાળકોને સમયદાન આપી યોગ્ય શૈક્ષણિક ઉપચારાત્મક કાર્ય કરાવવાનું રહેશે. ઉપચારાત્મક કાર્ય બાદ આ બાળકોની શૈક્ષણિક સિધ્ધિ સ્થિતિ ચકાસવા માટે ટૂંક સમયમાં અન્ય શૈક્ષણિક સર્વે હાથ ધરવામાં આવશે.
 
ધોરણ 1 થી 4માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબતે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button